सती का देहत्याग का निर्णय
(चौपाई)
नित नव सोचु सतीं उर भारा । कब जैहउँ दुख सागर पारा ॥
मैं जो कीन्ह रघुपति अपमाना । पुनिपति बचनु मृषा करि जाना ॥१॥
सो फलु मोहि बिधाताँ दीन्हा । जो कछु उचित रहा सोइ कीन्हा ॥
अब बिधि अस बूझिअ नहि तोही । संकर बिमुख जिआवसि मोही ॥२॥
कहि न जाई कछु हृदय गलानी । मन महुँ रामाहि सुमिर सयानी ॥
जौ प्रभु दीनदयालु कहावा । आरती हरन बेद जसु गावा ॥३॥
तौ मैं बिनय करउँ कर जोरी । छूटउ बेगि देह यह मोरी ॥
जौं मोरे सिव चरन सनेहू । मन क्रम बचन सत्य ब्रतु एहू ॥४॥
(दोहा)
तौ सबदरसी सुनिअ प्रभु करउ सो बेगि उपाइ ।
होइ मरनु जेही बिनहिं श्रम दुसह बिपत्ति बिहाइ ॥ ५९(क) ॥
(सोरठा)
जलु पय सरिस बिकाइ देखहु प्रीति कि रीति भलि ।
बिलग होइ रसु जाइ कपट खटाई परत पुनि ॥ ५९(ख) ॥
*
MP3 Audio
*
શોકમગ્ન પાર્વતી દેહત્યાગનો વિચાર કરે છે
નિત નવશોક સતી ઉરભાર ક્યારે થઉં દુઃખસાગર પાર,
કર્યું રઘુપતિનું મેં અપમાન, માની મિથ્યા પતિની વળી વાણ.
ફળ વિધિએ એનું મુજને આપ્યું, હતું ઉચિત કરી તે જ રાખ્યું;
શિવથી વિમુખ કરી રાખે જીવન ઘટતું વિધિ એ તને ના જરી પણ.
કહી ગ્લાનિ સતીની ના જાય, મનમાં સ્મરણ શ્રીરામનું થાય,
પ્રભુ દીનદયાળ ગણાઓ વેદ યશ ગાય ક્લેશ શમાવો;
તો હું અરજ કરું કર જોડી દેહ જલદી શકું મારો છોડી;
મારો શિવના ચરણમાં હો સ્નેહ, સત્ય વ્રત મનવચને હંમેશ
(દોહરો)
અંતર્યામી તો પ્રભુ જલદી કરો ઉપાય,
મૃત્યુ મળે જેથી મને અનાયાસ દુઃખ જાય.