Friday, May 24, 2013
   
Text Size

વાણી અને વિચાર

ભારત સેવા સમાજના એક કાર્યકર્તાએ પ્રાર્થના પછીના પ્રવચનમાં કહેવા માંડ્યું
કે વ્યક્તિ એ સમષ્ટિનું અંગ છે.
ઘણી વ્યક્તિ મળીને એક સમષ્ટિ બને છે.
માટે સમષ્ટિને સમૃદ્ધ, સ્થિર ને શક્તિશાળી બનાવવા
વ્યક્તિએ પોતાની જાતને શુદ્ધ, સ્થિર ને શક્તિશાળી બનાવવી જોઈએ.
વ્યક્તિએ પોતાની સુધારણા કરવી જોઈએ.
કેમ કે જેણે પોતાની જ સુધારણા કરી નથી તે બીજાની શું કરશે ?

શ્રોતાજનોને તે દિવસે અપાર આનંદ થયો.

બે-ચાર દિવસ પછી એ કાર્યકર્તાએ એક એકાંતપ્રેમી મહાપુરુષની મુલાકાત લીધી.
તેની સાથે કેટલીક વાતચીત કર્યા પછી તેણે અચાનક કહેવા માંડ્યું :
તમે અહિં રહીને સમાજની શી સેવા કરી શકો ?
અમારી જેમ તમારે સમાજની વચ્ચે વસવાની ને વિચરવાની જરૂર છે.
તમે સાધના સારી કરો છો, પણ એ તો પોતાના હિતની સાધના થઈને ?
એમાં સમાજનું હિત શું ?

તે મહાપુરુષ તેના તરફ થોડીવાર તો તાકી રહ્યા.
થોડા દિવસ પહેલાંનું તેનું પ્રાર્થના પ્રવચન તેમણે કોઈ મુલાકાતીની મારફત સાંભળ્યું હતું.
તે તેમની નજર આગળ તરવરવા લાગ્યું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus 
01.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 41 guests online

View site in