અધ્યાત્મયોગ
વિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.
- શ્રી યોગેશ્વરજી