સદભાગ્ય
માનવનું સદભાગ્ય હોય ત્યારે ગુરૂ સામે ચાલીને આવે અને માનવનું સદભાગ્ય હોય તો જ એવા સામેથી ચાલીને આવેલા ગુરૂને ઓળખી શકાય. તેમનો લાભ લઈ શકાય, તેમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકાય, જીવનની કાયાપલટ કરી શકાય અને અંતે આત્માનું કલ્યાણ સાધી શકાય.
- શ્રી યોગેશ્વરજી