३६. सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ।
36. satya pratisthayam kriya phala ashrayatvam
સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી એટલે કે જીવનને સંપૂર્ણપણે સત્યમય કરી દેવાથી, યોગી કર્તવ્યપાલનરૂપ બધી ક્રિયાઓના ફળના આશ્રય જેવો બની જાય છે. જે કર્મ કોઇએ ના કર્યું હોય, તેનું ફળ પણ તે આપી શકે છે. તેનું વરદાન, તેનો સંકલ્પ, આશીર્વાદ કે શાપ સદા સત્ય જ ઠરે છે.
*
३७. अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ।
37. asteya pratisthayam sarva ratna upasthanam
અસ્તેયમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા અસ્તેયની મૂર્તિ બનવાથી માણસની પાસે બધી જાતનાં રત્નો ઉપસ્થિત શાય છે.
*
३८. ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ।
38. brahmacharya pratisthayam virya labhah
બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ને શરીરમાં અલૌકિક શક્તિનું પ્રાકટય થાય છે. તેવી અસાઘારણ શક્તિની બરાબરી બીજા કોઇ સાધારણ માણસથી થઇ શકતી નથી.
*
३९. अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः ।
39. aparigraha sthairye janma kathanta sambodhah
અપરિગ્રહમાં પ્રતિષ્ઠા થવાથી પૂર્વજન્મ તથા વર્તમાન જન્મનાં રહસ્યોનું જ્ઞાન થઇ જાય છે.
પૂર્વજન્મમાં સાધક ક્યાં હતો, શું કરતો હતો, તે વાત જણાઇ જાય છે. તેથી ઉત્સાહ ને આત્મબલ વધે છે તથા યોગસાધનામાં પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે.
*
४०. शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ।
40. sauchat sva-anga jugupsa paraih asamsargah
શૌચના અભ્યાસથી સાધકને પોતાના શરીરમાં અપવિત્રતાનું ભાન થવાથી તેમાં વૈરાગ્યબુદ્ધિ ને ઉપરામતા થાય છે, આસક્તિ નથી રહેતી, ને બીજા માણસોનો સંગ કરવાનું મન નથી થતું. શરીરના આકર્ષણ તથા ઉપભોગથી તે પર થઇ જાય છે, અથવા મુક્તિ મેળવે છે.