Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શરદની શીતળ સવારે એ મહાપુરુષની મુલાકાત થઈ ગઈ. તેમના નાના શા આશ્રમની ફૂલવાડીમાં ફરતાં ફરતાં મેં તેમને પ્રશ્ન કર્યો: ‘તમારા જીવનનું લક્ષ્ય શું છે?’

પાસેના ફૂલને બતાવીને તેમણે કહ્યું: ‘કેવું ખીલી ઊઠ્યું છે આ ફૂલ! કેવી છે તેની શોભા! ને કેવી સુમધુર છે તેની સુવાસ! જીવનને એવું જ સુમધુર ને સુવાસિત બનાવવાની મારી મહેચ્છા છે. કહો કે કદીયે ના કરમાતા ફૂલ થવાની મારી અભિલાષા છે. તે માટે આ ફૂલ જેમ ડાળી પર બેઠું છે, તેમ માની મંગલમય ગોદમાં બેસવું જોઈશે, ને તેનાં પવિત્ર કિરણોથી પુલકિત થવું પડશે. આ જ છે મારા જીવનનું લક્ષ્ય: ફૂલ થવું. એની સિદ્ધિ થતાં બીજાને આપોઆપ સુવાસ મળી રહેશે.’

મને એ મહાપુરુષની ફિલસૂફી ગમી ગઈ.

- શ્રી યોગેશ્વરજી