Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ૐ નમો ભગવતે વાસુદેવાય.

વાસુદેવાય જો ભાવે ભજાય,
માયા ને મમતાના બંધ કપાય.
ૐ નમો ભગવતે વાસુદેવાય.

મૃત્યુ મરે ને અમર થવાય,
અક્ષરધામમાં વાસ કરાય.
ૐ નમો ભગવતે વાસુદેવાય.

મુક્તિને માટેનો મારગ સીધો,
સંત મહંત ને શાસ્ત્રોએ કીધો,
ૐ નમો ભગવતે વાસુદેવાય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit