if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શતશત પાંખડીએ પ્રકટીને પ્રસન્ન કરનારાં
પરિમલપાવન પુષ્પો પણ
છેવટે તો ઉપવનમાં શાંત થઈ ગયાં :
કમળો કળા કરી કરીને કરમાઈ ગયાં:
વિહંગના ગાન પણ મહીમંડળમાં મળી ગયાં.
ઉલ્લાસથી ભરેલી, ઉલ્લાસિત કરતી, ઉષાઓ
આકાશને આંગણે આવી અને આથમી ગઈ;
સંધ્યાઓ સ્વપ્નસમી બનીને શાંત થઈ.
જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ:
પરિવર્તનશીલ પ્રકૃતિ એવાં અનેકાનેક પરિવર્તનો કરતી જ રહી.

દીપકો જેમ પ્રકટે, મંદ પડે, ને બુઝાઈ જાય,
આ અવનિ પર એમ ન જાણે કેટકેટલી સંસ્કૃતિઓ
ઉદય પામી અને અસ્ત બની ગઈ :
પરંતુ તું અમર અને તારી સંસ્કૃતિ અમર છે ભારત !
કાળની કૂચ એને નહિ કરમાવી શકે.

પ્રતિકૂળતાના પવન વાય, તોફાનના તાંડવ થાય;
વિરોધીઓ વિષવમન કરે, કે દુશ્મનના દાવપેચ થાય;
દુઃખ, દર્દ, દુર્દિનના દાવાનલ જાગે:
ભાગ્ય ભારેખમ ભોગ માગે;
કદાચ તારી ભૂમિમાંથી થોડીક ભડકે પણ બળી જાય;
તો પણ શું ?
તારો આત્મા તો નહિ જ મરે :
તારી સંસ્કૃતિ છિન્નભિન્ન થશે તો પણ, નષ્ટપ્રાય તો નહિ જ બને.

તારા, ચંદ્ર અને સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશવાન,
પુષ્પો કરતાં પણ વધારે પાવન પુરુષો
તારા પ્રાંગણમાં પ્રકટ થતા જ રહેશે,
તને અનુપ્રાણિત કરશે,
તારી દિશા પ્રદિશાને સૌરભે ભરશે.
મારો જ નહિ, તારા વિરોધીઓનો પણ વિશ્વાસ છે :
તું શાશ્વત છે : તારી સંસ્કૃતિ શાશ્વત છે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.