દીપકે પતંગિયાને કહ્યું :
અરે પતંગિયા ! આખી અવનીને હું પ્રકાશ પૂરો પાડું છું.
મારા પ્રતાપની તને ખબર નથી શું ?
જરા સંભાળીને ચાલ, નહિ તો હમણાં જલી જઈશ.
પતંગિયાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું :
તારો પ્રકાશ પ્રખર છે તેની મને માહિતી છે.
પરંતુ એથી શું ?
એનું આટલું બધું અભિમાન શા માટે ?
તું પ્રકાશ પૂરો પાડે છે તેમ બીજાના જીવનને જલાવે પણ છે,
તેની હું જગતને જાણ કરી દઈશ.
અને પતંગિયું દીપકની દિશામાં દોડી ગયું.
- શ્રી યોગેશ્વરજી

