Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !
વાણી મારા મનમાં છે, મનમાંથી પ્રગટ થાય છે.
ઊભયની વચ્ચે અભેદ છે.

મનનું વાણીમાં વહન થાય છે.
વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !
એ એકતાની સમાપ્તિ એટલેથી જ નથી થતી :
આચારમાં પણ એનો આવિર્ભાવ છે.

મારું મન જે મનન કરી ચૂક્યું છે તે જ વાણીમાં પ્રકટ થાય છે.
આચારમાં પણ તેનો જ અનુવાદ થાય છે.
એનું કારણ શું છે તે જાણો છો ?

આત્માની સાથેની એકરૂપતા.
આત્માની સાથે એકરૂપ થવાથી,
આત્માનુભવ થવાથી જ, આવી ત્રિવિધ એકતા થઈ શકી છે.
મન, વાણી અને કર્મનો બાહ્ય ભંડાર
એના મૂળ આત્મામાંથી જ આવિર્ભાવ પામે છે.
એ જ એકતાનું રહસ્ય છે.

- શ્રી યોગેશ્વરજી