આ અવનીપટ પર કેટલીય કૃતિઓ થઈ ગઈ,
જેમણે પોતાની પ્રતિભા તથા લીલાથી
ક્ષણવાર તમારી પ્રતિભા અને લીલાને વિસરાવી.
એવી અનેક આકૃતિ આ અવનીમાં થઈ ગઈ.
મારી કૃતિ તમારી લીલા કે પ્રતિભાનું વિસ્મરણ કરાવનારી બની બેસે
એવું નથી કહેતો; કદાપિ નહિ કહું;
કિન્તુ તમારે માટે શૃંગારને બદલે શરમ તો ના જ બને;
તમારી આ કૃતિની લીલાથી તમારી લીલા વિશેષ ઉજ્જવળ બને;
એટલું અવશ્ય માગી લઉં છું.
- શ્રી યોગેશ્વરજી

