Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
નયનમાં બોરબોર જેવડાં આંસુ ભરીને
દર્શનને માટે દુખાવાનું શું કારણ છે ?

સૂના મંદિરમાં દીવો બાળીને
રાત ને દિવસ એની પ્રતીક્ષા કરતાં,
વ્યાકુળ થઈ થઈ ને ઓછું લાવવાનું શું કારણ છે ?

તારો સંતોષ તો દર્દમાં જ હોય;
તારું જીવન આંસુના પ્રવાહમાં જ હોય;
કેમ કે આ કાંઈ બદલો કે વ્યાપાર નથી.

હે કમલિની જેવા મુખવાળી પ્રિયા,
તું તારી મૂક વેદનામાં જ મોજ લે !
તારા પ્રેમની ધારામાં સ્નાન કરવાના સૌભાગ્યને
તારો પ્રિયતમ અવગણી નહિ શકે.
ને ખરે, સમય જતાં
તારો પ્રિયતમ પણ તારા વિના નહિ રહી શકે.

- શ્રી યોગેશ્વરજી