Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારામાં વાસના ને લાલસાનો લવલેશ પણ રહ્યો છે,
ત્યાં સુધી મારા પોકાર ને મારી પીડા ને પ્રાર્થનાને ગણકાર નહિ;
ને જ્યાં સુધી તારા સ્મરણમાત્રથી
આ અંતર વ્યથિત થઈને હજારો ઝરણાંરૂપે ઝરતું નથી,
ત્યાં સુધી તું આવ નહિ; એમાં જ મારું શ્રેય છે.

મારો આમૂલ પલટો થવા દે;
મને નખશિખ નેહમાં નહાવા દે;
તારે માટેનો સાચો તલસાટ ના ઊઠે ત્યાં સુધી તું આવ નહિ !
ને તારી દયાથી મને ત્યાં સુધી હીન જ રાખ,
જ્યાં સુધી મારા બધા જ મળ ધોવાયા નથી.

કેમ કે મારે તારું દર્શન કરીને જ કૃતાર્થ નથી થવું;
મારે તો તારી સાથેની તદરૂપતા પણ સાધવી છે.

- શ્રી યોગેશ્વરજી