Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજ વિરહની વ્યથા શમાવો !

મિલનમાધુરી રેલાવીને
જીવનમાં નૂતન ગત ગાઓ,
પ્રકટ કરીને પ્રભાત નૂતન
નવો પ્રકાશ બધે પ્રકટાવો !

વિષની છાયા શાંત કરીને
અમૃતપાન ખરે જ કરાવો;
અપૂર્ણતાનો અંત આણતાં
પરિપૂર્ણમહીં સ્થાન અપાવો !

‘પાગલ’ને વધુ વાર હવે ના
એકલદોકલ આમ ભમાવો;
અંતિમ હો આ રાત વિરહની,
કાલ મિલનનું પર્વ મનાવો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit