વ્હાલા તારે ચરણે ધર્યું જીવન મારું રે,
હવે ચિંતા કર્યે શું વળે જીવન બન્યું તારું રે.... વ્હાલા
તું સુઝાડે ને તું જ કરાવે જપ, તપ સાધનને,
તારી લીલા અપરંપાર પાર પમાયે શે...... વ્હાલા
તારા નામે જીવન ઝૂકાવ્યું તો તેં ગણ્યું તારું રે,
માડી બનતાં અંકે લીધું કૃતાર્થ કયુઁ ન્યારું રે... વ્હાલા
MP3 Audio
રચના સમયના મનોભાવો
મૌનમંદિરમાં પ્રભુની કૃપાથી જવાનું બનતું ત્યારે ત્યારે સહજ વિચાર આવતો કે આ એકાંતસેવન કોણ કરાવે છે ? આ માર્ગે જપતપ કરવાની પ્રેરણા કોણ આપે છે?
સર્વસમર્થ સદગુરુને શ્રી ચરણે જીવન ધયુઁ તો તે જ આપણા જીવનને સંભાળે છે. પછી ચિંતા જ ક્યાં રહી? નિશ્ચિંત બનીને પ્રભુને શ્રી ચરણે બેઠાનો સંતોષ અહીં વ્યક્ત થયો છે.

