Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अयोध्यावासीओं की प्रतिक्रिया  
 
एक बिधातहिं दूषनु देंहीं । सुधा देखाइ दीन्ह बिषु जेहीं ॥
खरभरु नगर सोचु सब काहू । दुसह दाहु उर मिटा उछाहू ॥१॥
 
बिप्रबधू कुलमान्य जठेरी । जे प्रिय परम कैकेई केरी ॥
लगीं देन सिख सीलु सराही । बचन बानसम लागहिं ताही ॥२॥
 
भरतु न मोहि प्रिय राम समाना । सदा कहहु यहु सबु जगु जाना ॥
करहु राम पर सहज सनेहू । केहिं अपराध आजु बनु देहू ॥३॥
 
कबहुँ न कियहु सवति आरेसू । प्रीति प्रतीति जान सबु देसू ॥
कौसल्याँ अब काह बिगारा । तुम्ह जेहि लागि बज्र पुर पारा ॥४॥
 
(दोहा) 
सीय कि पिय सँगु परिहरिहि लखनु कि रहिहहिं धाम ।
राजु कि भूँजब भरत पुर नृपु कि जीहि बिनु राम ॥ ४९ ॥

*
MP3 Audio

*
 
અયોધ્યાવાસીઓની પ્રતિક્રિયા
 
(દોહરો) 
અન્ય વિધાતાને વળી દેવા લાગ્યા દોષ
જેણે સુધા બતાવતાં દીધું ઝેર સરોષ.
 
ઉમંગ સૌનો ઓસર્યો, થઇ રહ્યો સંક્ષોભ,
અસહ્ય દાહ થયો ઉરે, વ્યાપ્યો સઘળે શોક.
*
વિપ્રનારી કૈકેયીની મિત્ર કુળની વૃદ્ધાઓ તેમ વિચિત્ર
દેવા લાગી શિખામણ પ્રેમે પ્રિય લાગી પરંતુ ના કેમે.
 
કહી શીલને વખાણીને વાણ, લાગ્યાં વચનો એને જાણે બાણ;
બોલી કોઇ કહેતાં તમે કે પ્રિય ભરત ના રામસમા છે;
 
કરો સહજ શ્રીરામને સ્નેહ, જાણે અખિલ જગત એ નેહ;
કયા અપરાધે વન તો આપો, નવ યુવરાજપદ પર સ્થાપો ?
 
કર્યો શોકો સાથે નવ ભેદ, જાણે સર્વ તમારો અભેદ;
હવે કૌશલ્યાએ શું બગાડયું તમે પુર પર કેં વજ્ર પાડયું ?
 
(દોહરો)
સીતા પતિને ત્યાગશે, લક્ષ્મણ રહેશે ધામ,
ભરત રાખશે રાજ્યને, નૃપ રહેશે વિના રામ ?