Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम, सीता और लक्ष्मण को देखकर धन्यता की अनुभूति
 
जौं ए कंद मूल फल खाहीं । बादि सुधादि असन जग माहीं ॥
एक कहहिं ए सहज सुहाए । आपु प्रगट भए बिधि न बनाए ॥१॥
 
जहँ लगि बेद कही बिधि करनी । श्रवन नयन मन गोचर बरनी ॥
देखहु खोजि भुअन दस चारी । कहँ अस पुरुष कहाँ असि नारी ॥२॥
 
इन्हहि देखि बिधि मनु अनुरागा । पटतर जोग बनावै लागा ॥
कीन्ह बहुत श्रम ऐक न आए । तेहिं इरिषा बन आनि दुराए ॥३॥
 
एक कहहिं हम बहुत न जानहिं । आपुहि परम धन्य करि मानहिं ॥
ते पुनि पुन्यपुंज हम लेखे । जे देखहिं देखिहहिं जिन्ह देखे ॥४॥
 
(दोहा)    
एहि बिधि कहि कहि बचन प्रिय लेहिं नयन भरि नीर ।
किमि चलिहहि मारग अगम सुठि सुकुमार सरीर ॥ १२० ॥
 
દર્શનમાત્રથી ધન્યતા અનુભવતા લોકો
 
(દોહરો) 
કંદમૂળફળ ખાય તો સુધાદિ અશન અસાર;
કોઇ બોલ્યા, આમનું છે સૌન્દર્ય અપાર.
*
થયાં પ્રગટ છે પોતાની રીતે, ઘડયાં વિધિએ ના એમને પ્રીતે;
જુઓ ચૌદ ભુવન તમે ભારી, કયાં છે પુરુષ આવા આવી નારી ?
 
જોઇ વિધિને થયો અનુરાગ, કર્યો પરિશ્રમ એણે અગાધ,
કરી રચના શકાઇ ના આવી ત્યારે રાખ્યાં વનમાં ત્રણે લાવી.
 
નથી જ્ઞાન વિશેષ અમોને તોય સાચું કહીએ તમોને,
અમે દર્શનથી થયા ધન્ય, બનશે બડભાગી દર્શને અન્ય.
 
(દોહરો)  
એવાં પ્રિય શબ્દો કહે ભરી નયનમાં નીર,
કઠોર માર્ગે ચાલશે શેં સુકુમાર શરીર ?