Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अपने भक्तों के हृदय में निवास करो, वाल्मिकी ने कहा
 
सुनि मुनि बचन प्रेम रस साने । सकुचि राम मन महुँ मुसुकाने ॥
बालमीकि हँसि कहहिं बहोरी । बानी मधुर अमिअ रस बोरी ॥१॥
 
सुनहु राम अब कहउँ निकेता । जहाँ बसहु सिय लखन समेता ॥
जिन्ह के श्रवन समुद्र समाना । कथा तुम्हारि सुभग सरि नाना ॥२॥
 
भरहिं निरंतर होहिं न पूरे । तिन्ह के हिय तुम्ह कहुँ गृह रूरे ॥
लोचन चातक जिन्ह करि राखे । रहहिं दरस जलधर अभिलाषे ॥३॥
 
निदरहिं सरित सिंधु सर भारी । रूप बिंदु जल होहिं सुखारी ॥
तिन्ह के हृदय सदन सुखदायक । बसहु बंधु सिय सह रघुनायक ॥४॥
 
(दोहा)
जसु तुम्हार मानस बिमल हंसिनि जीहा जासु ।
मुकुताहल गुन गन चुनइ राम बसहु हियँ तासु ॥ १२८ ॥
 
મુનિ ભક્તના હૃદયમાં વસવા જણાવે છે
 
(દોહરો) 
મુનિનાં સ્નેહવચન સુણી સંકોચાયા રામ,
મનમાં હસ્યા; હસી ફરી બોલ્યા મુનિ કૃતકામ.
 
હવે બતાવું રામ, નિકેત વસો જયાં સીતા-અનુજ-સમેત;
શ્રવણ જેમના સિંધુ સમાન કથા આપની મધુ રસપ્રાણ
 
એમાં સરિતાસમી ભરાય તોપણ એ ના પૂર્ણ ધરાય,
હૃદય એમનાં સદન રસાળ, એમાં કરો નિવાસ દયાળ !
 
નેત્ર જેમનાં ચાતક જેમ દર્શન જલધર ઝંખે તેમ
સરિત સિંધુ સરને ન ગણે, રૂપબિંદુ જલને જ ચહે;
એમના ઉરે સદન કરો, સીતા લક્ષ્મણ સહ વિહરો.
 
(દોહરો)
યશના નિર્મળ માનસે જીભ જેમની રોજ
હંસિની બની માણતી ગુણમોતીની મોજ
 
રામ, એમના હૃદયમાં કરો સદાયે વાસ,
સુખદાયક, દો એમને શાંતિ સનાતન ખાસ.