राममिलन बिना मुझे चैन नहीं - भरत
गुर बिबेक सागर जगु जाना । जिन्हहि बिस्व कर बदर समाना ॥
मो कहँ तिलक साज सज सोऊ । भएँ बिधि बिमुख बिमुख सबु कोऊ ॥१॥
परिहरि रामु सीय जग माहीं । कोउ न कहिहि मोर मत नाहीं ॥
सो मैं सुनब सहब सुखु मानी । अंतहुँ कीच तहाँ जहँ पानी ॥२॥
डरु न मोहि जग कहिहि कि पोचू । परलोकहु कर नाहिन सोचू ॥
एकइ उर बस दुसह दवारी । मोहि लगि भे सिय रामु दुखारी ॥३॥
जीवन लाहु लखन भल पावा । सबु तजि राम चरन मनु लावा ॥
मोर जनम रघुबर बन लागी । झूठ काह पछिताउँ अभागी ॥४॥
(दोहा)
आपनि दारुन दीनता कहउँ सबहि सिरु नाइ ।
देखें बिनु रघुनाथ पद जिय कै जरनि न जाइ ॥ १८२ ॥
રામમિલન વિના મને ચેન નહીં મળે - ભરત
(દોહરો)
ગુરુ વિવેકસાગર સમા, જગ આખું માને,
કરમાં બોરસમાન એ ગતિ સૌની જાણે.
એ પણ કરવા તિલકને મને થયા તૈયાર,
થતાં વિમુખ વિધિ સૌ થતાં વિમુખ ન લાગે વાર.
*
જગત કહેશે મને ખરાબ એવો ભય ના મને જરાય;
શોક નથી પરલોકતણો, ધૃષ્ટતા ભલે છેક ગણો.
દિલમાં દાવાનલ છે એક, પીડિત થયાં ખરેખર છેક
મારે લીધે સીતારામ, વનમાં વસ્યાં બની કૃતકામ.
(દોહરો)
શ્રેષ્ઠ લાભ તો લક્ષ્મણે જીવનનો લીધો,
સર્વ તજીને રામના અનુગ્રહને પીધો.
જન્મ મહારો રામના વનને કાજ થયો
કમભાગી મુજને વિરલ લ્હાવો એ જ મળ્યો.
સૌને વંદીને કહું દૈન્ય પરમ મારું,
રામમિલન વિણ દર્દ ના દૂર થશે સારું.

