राम ने भरत को आलिंगन दिया
सो कुचालि सब कहँ भइ नीकी । अवधि आस सम जीवनि जी की ॥
नतरु लखन सिय सम बियोगा । हहरि मरत सब लोग कुरोगा ॥१॥
रामकृपाँ अवरेब सुधारी । बिबुध धारि भइ गुनद गोहारी ॥
भेंटत भुज भरि भाइ भरत सो । राम प्रेम रसु कहि न परत सो ॥२॥
तन मन बचन उमग अनुरागा । धीर धुरंधर धीरजु त्यागा ॥
बारिज लोचन मोचत बारी । देखि दसा सुर सभा दुखारी ॥३॥
मुनिगन गुर धुर धीर जनक से । ग्यान अनल मन कसें कनक से ॥
जे बिरंचि निरलेप उपाए । पदुम पत्र जिमि जग जल जाए ॥४॥
(दोहा)
तेउ बिलोकि रघुबर भरत प्रीति अनूप अपार ।
भए मगन मन तन बचन सहित बिराग बिचार ॥ ३१७ ॥
*
MP3 Audio
*
રામ ભરતને આલિંગન આપે છે
(દોહરો)
કુચાલ હિતકર એ થઇ સર્વકાજ સઘળી,
વિયોગ વ્યાધિગ્રસ્ત જન નહિ તો જાત મરી.
રામકૃપાથી સર્વની અશાંતિ કિન્તુ ટળી,
સુરસેના રક્ષક બની હિતકારક સઘળી.
આલિંગન આપી રહ્યા ભરતને મળી રામ;
રામ પ્રેમરસ વર્ણવી કેમ શકાય તમામ ?
તન મન વચને ઊમટયો સહજ શુદ્ધ અનુરાગ;
ધર્મધુરંધર રઘુવરે કર્યો ધૈર્યનો ત્યાગ.
નયનકમળથી જળ વહ્યું; દશા નિહાળી એ
દેવસભા દુઃખી બની વિસ્મિત અતિશય ને.
મુનિગણ વસિષ્ઠ જનક સૌ ધર્મધુરંધર ધીર
જ્ઞાનપાવકે અંતરે દોષ રહ્યો ન લગીર;
વિધિએ નિર્લેપ જ રચ્યા જેને; જળમાં જે
જગના કમળસમા હતા આસક્તિ રહિત ને.
તે પણ રામ-ભરત તણી પેખી પ્રીત અપાર
મગ્ન બન્યા તન મન વચન સહિત વિરાગ વિચાર.

