Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामनाम की महिमा
 
(चौपाई)
समुझत सरिस नाम अरु नामी । प्रीति परसपर प्रभु अनुगामी ॥
नाम रूप दुइ ईस उपाधी । अकथ अनादि सुसामुझि साधी ॥१॥
 
को बड़ छोट कहत अपराधू । सुनि गुन भेद समुझिहहिं साधू ॥
देखिअहिं रूप नाम आधीना । रूप ग्यान नहिं नाम बिहीना ॥२॥
 
रूप बिसेष नाम बिनु जानें । करतल गत न परहिं पहिचानें ॥
सुमिरिअ नाम रूप बिनु देखें । आवत हृदयँ सनेह बिसेषें ॥३॥
 
नाम रूप गति अकथ कहानी । समुझत सुखद न परति बखानी ॥
अगुन सगुन बिच नाम सुसाखी । उभय प्रबोधक चतुर दुभाषी ॥४॥
 
(दोहा)
राम नाम मनिदीप धरु जीह देहरी द्वार ।
तुलसी भीतर बाहेरहुँ जौं चाहसि उजिआर ॥ २१ ॥

*
MP3 Audio

*
 
રામનામનો મહિમા
 
(દોહરો)       
નામ અને નામીમહીં પૂર્વ એકતા છે,
પ્રીતિ ઉભયમાં સેવ્ય ને સેવકશી પણ છે;
 
સ્વામી પાછળ ચાલતો સેવક, નામી તેમ
અનુસરે સદા નામને, અનુભવાય છે એમ.
 
રઘુવર પણ આવી જતા રામનામ લેતાં,
રામચરણમાં રત બધા સંત એમ કહેતા.
 
નામરૂપ ઇશ્વરતણી ઉપાધિ છે બંને,
અવર્ણનીય અનાદિ છે, જ્ઞાનીજન વંદે.
 
નાનું એમાં કોણ ને કોણ વળી મોટું
કહેવામાં અપરાધ એ ચિંતન છે ખોટું;
 
નામરૂપના ભેદને છતાં સંત જાણે,
આધાર લઇ એમનો મુક્તિરસ માણે.
 
નામ વિના ના રૂપનું થઇ શકે છે જ્ઞાન,
અધીન એથી નામને રૂપ, કહે વિદ્વાન.
 
રૂપ હોય સામે છતાં નામ વિના ન જણાય;
રૂપને નિહાળ્યા વિના પરંતુ નામ જપાય
 
પ્રેમ વધ્યાથી રૂપ તો હૃદયમહિં પ્રગટે,
કથા નામ ને રૂપની મતિ શે મંદ કથે.
 
અકથ કથા સુખપ્રદ સુણ્યે છતાં ન વર્ણન થાય.
નિર્ગુણ સગુણ સ્વરૂપનું સાક્ષી નામ ગણાય;
 
દુભાષિયા જેવું જ તે જ્ઞાન કરાવી દે,
નિર્ગુણ તેમજ સગુણનો ભેદ મિટાવી દે.
 
રામનામ મણિદીપને મુખમંદિરમાં ધાર
તુલસી પ્રકાશ જો ચહે અંદર તેમ બહાર.