Download details |
![]() | ||||||||||||||||||||||||||
સાહિત્ય મારે મન જીવનના અરુણોદયથી જ આત્મવિકાસનું એક અક્સીર સાધન રહ્યું છે. આત્માનુભવને પ્રકટ કરવાના વાહન અથવા તો માધ્યમ તરીકે પણ તેણે કામ કર્યું છે. સાહિત્યનું સર્જન મારા જીવનનું એક અત્યંત અગત્યનું, અવિભાજ્ય અંગ થયું છે. એણે મને મૂંઝવણની ક્ષણોમાં શાંતિ આપી છે, ને પ્રેરણા પૂરી પાડી છે. બધે જ વખતે ને બધે સ્થળે એ મારે માટે આશીર્વાદરૂપ થયું છે. વિચારો ને ભાવોની આ એક નાની સરખી ફૂલવાડી છે. અંતરના ઉપવનમાં જે ભાવો ને વિચારોના ફૂલ ખીલી ઉઠ્યાં છે, તેમનું આ એક નાનું સરખું અથવા આછું પાતળું પ્રતિબિંબ છે. ફૂલવાડીમાં વિવિધરંગી ફૂલ હોય તે પ્રમાણે આ સંગ્રહમાંની રચનાઓ પણ જુદી જુદી જાતની છે. તે ફૂલની પેઠે ફોરમવંતી છે કે નહિ તે તો રસિકો જ કહી શકશે. આ રચનાઓની શૈલી મોટે ભાગે વાર્તાની છે. એટલે સામાન્ય રીતે એમનો સાર અથવા તો ભાવાર્થ સમજવામાં સરળતા થશે એમ માનું છું. કોઈને તે આનંદ, શાંતિ ને તાજગી આપશે તો પણ ઘણું. - શ્રી યોગેશ્વરજી |
|