| Download details |
દશમ સ્કંધને ભાગવતનું હૃદય કહી શકાય. અને એમાં આલેખાયલી ગોપીઓના પ્રેમ ને એમના પ્રાણ, એના આરાધ્યદેવ અથવા એમના આત્મારૂપે અલંકૃત થયેલા ભગવાન કૃષ્ણના પરમપ્રેમની કથાને દસમા સ્કંધનું હાર્દ ગણી શકાય. એથી ગોપીપ્રેમને શ્રીમદ્ ભાગવતનું સારતત્વ કે જીવનતત્વ કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીમદ ભાગવતના દસમા સ્કંધમાં આલેખાયેલા ગોપીપ્રેમના પ્રસંગો સમજૂતી સાથે આવરી લેવાયા છે. શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે આલેખાયેલ એ પ્રસંગો ગોપીઓના વિશદ વ્યક્તિત્વને સમજવામાં ઘણી સહાયતા કરશે. પ્રેમભક્તિના પંથે પગલાં ભરતાં સાધકોને માટે પ્રેરક અને માર્ગદર્શક ઠરશે. યોગેશ્વરજી રચિત તથા આશિત અને હેમા દેસાઈ દ્વારા સંગીતબદ્ધ કરાયેલ સુપ્રસિદ્ધ ગોપીગીતનો ગુજરાતી અનુવાદ આ પુસ્તકનો ભાગ છે તે વાચકોની જાણ માટે. |
| |||||||||||||||||||||||||


