Download details |
![]() | ||||||||||||||||||||||||||
સંસ્કૃતમાં જે કેટલાક ઉત્તમ કોટિના ભક્તિવિષયક ગ્રંથો છે તેમાં નારદ ભક્તિસૂત્રની ગણના થાય છે. એ ભક્તિસૂત્રની સરળતા ને સરસતા તથા સચોટતા ને વિદ્વત્તા વિદ્વાનોમાં પણ આદરણીય મનાય છે. ભક્તિસંબંધી એ સૂત્રો ભક્તિમાર્ગના ગ્રંથોમાં સર્વોત્તમ જેવાં ગણાય છે. શ્રી યોગેશ્વરજીએ આ પુસ્તકમાં નારદ ભક્તિસૂત્રના બધા સૂત્રોની ક્રમવાર પોતાની રીતે વિચારણા કરીને રજુ કર્યા છે. અથવા એમ કહો કે પ્રત્યેક સૂત્ર પર એકેક વિવરણ કે નિબંધ લખવામાં આવ્યો છે. ભક્તિની સાધનામાં જેઓ રસ ધરાવે છે, અથવા તો જીવનના શ્રેયસાધન માટે જેમને આદરભાવ છે, એમને આ લેખનિબંધોનું વાચન ગમશે. |
|