ગુજરાતના સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર યોગેશ્વરજીએ ગુજરાતી ભાષાને સો કરતાં વધુ ગ્રંથોની ભેટ ધરી છે. એમના રામાયણ પર આધારિત શ્રી યોગેશ્વરજી ગ્રંથોમાં સમર્પણ (ભાગ-૧ અને ૨) (નવલકથા), રામચરિતમાનસ (તુલસીકૃત રામચરિતમાનસનો ગુજરાતી પદ્યાનુવાદ), રામાયણ દર્શન (મહાકાવ્ય), શ્રી રામ કથામૃત (વાલ્મીકિ અને તુલસીકૃત રામાયણનો તુલનાત્મક રસાસ્વાદ) તથા રામનું હૃદય (નાટક)નો સમાવેશ થાય છે. રામ વનવાસનો વખત પૂરો થયા પછી અયોધ્યામાં પાછા ફર્યા તે પછી મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે કેટલાક વખત પછી સીતાને ફરીવાર વનમાં જવું પડ્યું. એ ઘટનામાંથી અને એની પછીની સીતાના પૃથ્વીપ્રવેશની અને રામની વિરહવ્યથાની ઘટનામાંથી પ્રેરણા મેળવી શ્રી યોગેશ્વરજીએ આ નાટકની રચના કરેલી. આ નાટક ભજવી શકાય તેવું છે તથા તેમાં પ્રસંગને અનુરૂપ ગીતો પણ છે, તે એની વિશેષતા છે. E-Book Title : Ram nu Hruday (રામનું હૃદય) Language : Gujarati Version : 1.0 Pages : 88 Created : October 30, 2019. | | Data | | Version | | | Size | 786.77 KB | | Downloads | 1,673 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2019-10-31 | | Changed | 2019-10-31 | Download | | |
|