Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જુગતીને તમે જાણી લેજો પાનબાઈ,
મેળવી વચનનો તાર રે,
વચનરૂપી દોરામાં સુરતાને બાંધો
ત્યારે મટી જશે જમના માર રે ... જુગતી

જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે
ને મર્યાદા લોપાઈ જાય રે,
ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો
જુગતીથી અલખ જણાય રે ... જુગતી

જુગતીથી સહેજે ગુરુપદ જડે ને,
જુગતીથી તાર બંધાય રે,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં ને
જુગતી જાણ્યેથી પાર જવાય રે ... જુગતી

જુગતી જાણે તેને રોકે નહીં કોઈ
તે તો હરિ સમ બની જાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તેને નમે જગનાં નરનાર રે ...જુગતી

- ગંગા સતી

Comments

Search Reset
1
Mahendra Solanki
13 years ago
very nice bhajan
Like Like Quote

Add comment

Submit