Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે ... એકાગ્ર

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોહજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્હોર હરિનું,
લે છે નિરંતર નામ રે ... એકાગ્ર

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે,
બેહદની જેણે ભક્તિ કીધી રે,
એ રમી રહ્યો તેની સાથ રે ... એકાગ્ર

મળવિક્ષેપ જેના મટી ગયા રે,
ટળી ગયા દૂબજાના ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે ... એકાગ્ર

- ગંગા સતી

Comments

Search Reset
1
Parmit
9 years ago
Gangasati na yog tatha rahasyavad book. On gangasati 54 bhajan with understanding written by Ansuya V Gorecha. You can get on below address:
Ansuya V Gorecha
201, Kunal Tower
Park colony, Jamnagar
Gujarat India
Ph: 9879529777, +912882554029
Like Like Quote
2
Shailesh Pansuriya
13 years ago
ગંગા સતી ના આ ભજનો નેટ ઉપર મુકવા બદલ તમારા સહુ નો ખુબ ખુબ આભાર. આ અમ્રુત બજારમાં શોધવા જતા મળતુ નથી.
Like Like Quote

Add comment

Submit