Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

समुद्र पार करने में संपाति की असमर्थता
 
जो नाघइ सत जोजन सागर  । करइ सो राम काज मति आगर ॥
मोहि बिलोकि धरहु मन धीरा  । राम कृपाँ कस भयउ सरीरा ॥१॥
 
पापिउ जा कर नाम सुमिरहीं । अति अपार भवसागर तरहीं ॥
तासु दूत तुम्ह तजि कदराई । राम हृदयँ धरि करहु उपाई ॥२॥
 
अस कहि गरुड़ गीध जब गयऊ । तिन्ह कें मन अति बिसमय भयऊ ॥
निज निज बल सब काहूँ भाषा । पार जाइ कर संसय राखा ॥३॥
 
जरठ भयउँ अब कहइ रिछेसा । नहिं तन रहा प्रथम बल लेसा ॥
जबहिं त्रिबिक्रम भए खरारी । तब मैं तरुन रहेउँ बल भारी ॥४॥
 
(दोहा)   
बलि बाँधत प्रभु बाढेउ सो तनु बरनि न जाई ।
उभय धरी महँ दीन्ही सात प्रदच्छिन धाइ ॥ २९ ॥
 
સમુદ્ર ઓળંગવામાં સંપાતિની અસમર્થતા
 
ઓળંગે શતયોજન સાગર તે જ કાર્ય કરશે મતિઆગર;
રમાકૃપાથી નવલ શરીર મળ્યું મને, સૌ ધારો ધીર.
 
પાપી જેનું નામ સ્મરી ભવસાગરને જાય તરી,
તેના જન છો, ક્લૈબ્ય તજી કરો ઉપાયો રામ ભજી.
 
એમ કહી સંપાતિ ગયો, વિસ્મય સૌને પરમ થયો;
સૌએ નિજબળમાપ કહ્યું, પાર જવા ના ઉચિત ગણ્યું.
 
જાંબવાન કહે વૃદ્ધ થયો, બલી પ્રથમ જેવો ન રહ્યો;
વામન ખરના શત્રુ બન્યા ત્યારે બળની કૈં ન મણા.
 
(દોહરો) 
બાંધી બલિને પ્રભુ વધ્યા, વર્ણવાય ના કાય;
દોડી સાત પ્રદક્ષિણા કરી બે ઘડીમાંહ્ય.
 
તરુણાવસ્થાનું હતું બળ એવું ભારે,
અનેક અર્ણવ હોત મેં ઓળંગ્યા ત્યારે.