Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગોવિંદના ગુણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું.

ચરણામૃતનો નિયમ હમારે,
નિત્ય ઊઠી મંદિર જાશું ... રાણાજી અમે.

રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મરી જાશું ... રાણાજી અમે.

વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું ... રાણાજી અમે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ પર વારી જાશું ... રાણાજી અમે.

- મીરાંબાઈ

Comments

Search Reset
1
Ajit Bhagat
10 years ago
Really Inspiring Bhajans and Heritage of Our Indian Ancient Poets... Great and praiseworthy Job
Like Like Quote

Add comment

Submit