નિરાશા શા માટે થાય છે ? તને જે નિરાશા લાગે છે, તેમાં જ આશાનું અવનવું બીજ રહેલું છે. તને તેની ખબર નથી એટલું જ. નિરાશ શા માટે થાય છે ?
ચિંતાતુર શા માટે બને છે ? તને જે ચિંતાનું કારણ લાગે છે, તેમાં જ તારા જીવનની નિશ્ચિંતતાનું સામ્રાજ્ય સમાયેલું છે. તને તેની ખબર નથી એટલું જ. ચિંતાતુર શા માટે બને છે ?
આંસુ શા માટે સારે છે ? તને જે આંસુનું સ્થાન લાગે છે, તેમાં જ તારા આનંદનું અલૌકિક ઉદભવસ્થાન રહેલું છે. તને તેની ખબર નથી એટલું જ. આંસુ શા માટે સારે છે ?
પરાજયની પીડામાં શા માટે પડે છે ? તને જે પરાજય લાગે છે, તેમાં જ તારા વિજયની નિશાની રહેલી છે. તને તેની ખબર નથી એટલું જ. પરાજયની પીડામાં શા માટે પડે છે ?
- શ્રી યોગેશ્વરજી
***
निराश किस लिये होता है ? तुझे जो निराशा होती है, उसी में आशा का अवनवीन बीज छूपा हुआ है । तुझे उसकी खबर नहीं इतना ही ! निराश किस लिये होता है ?
चिंतित क्यों बनता है ? तुझे जो चिंता का कारण लगता है, उसीमें तेरे जीवन की निश्चिंतता का साम्राज्य समाया हुआ है । तुझे उसका पता नहीं इतना ही ! चिंतातुर क्यों बनता है ?
अश्रु किस कारण बहाता है ? तुझे जो अश्रुपात का कारण लगता है, उसीमें तेरे अलौकिक अवर्णनीय आनंद का उद्भव-स्थान रहा है । तुझे उसकी खबर नहीं इतना ही ! अश्रु किसके लिये बहाता है ?
पराजय की पीड़ा में क्यों कराहता है ? तुझे जो पराजय लगती है, उसीमें तेरी विजय की निशानी रही है । तुझे उसका पता नहीं इतना ही ! पराजय की पीड़ा में क्यों कराहता है ?