Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાધક શ્રદ્ધાને વર તું !

ચંચલતા દે દૂર કરી, ના
ભ્રમણાને ભજ તું
શંકા સઘળીએ ટાળી દે,
હારે હિંમત શું ! ... સાધક

મનોબલ વિના આ મારગમાં
થાય ન સિદ્ધ કશું;
શંકાશીલ સદાય મરે છે,
પ્રગતિ કરે ન તસુ ... સાધક

ગુરૂ ને આત્મામાં કર શ્રદ્ધા
તેમજ સાધનશુ ;
વિના વિઘ્ન જો હોય જગતને
સ્મિત કરતાં તરવું ... સાધક

અનુભવની આ વાત વખણાયેલી
વાત ખરે જ કહું;
'પાગલ' શ્રદ્ધાના શઢ સાથે
માર હલેસાં તું ! ... સાધક

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit