Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હૃદયમાં પ્રેમ જાગે તો, બધુંયે કામ થાયે છે.
અડગ વિશ્વાસ જાગે તો, બધુંયે કામ થાયે છે. ... હૃદયમાં

કર્યો ઉપદેશ સંતોએ, વળી શાસ્ત્રે ઘણાં એવો,
સબૂરી, સ્નેહ, શ્રદ્ધાથી, બધીયે ભીતિ ભાગે છે. ... હૃદયમાં

બને બેચેન અંતર આ, લઇ લગની સદા સ્તવે,
સમર્પણ જો કરે તો, ના કૃપાની વાર લાગે છે. ... હૃદયમાં

ઝરે જો નેહનાં નિર્ઝર, ફકીરી ચિત્ત જો ધારે;
અખંડાનંદ શાંતિતણી સિતારી સરસ વાગે છે. ... હૃદયમાં

રડે તે હર્ષ પામે છે, લૂંટાયે તે લૂંટાવે છે;
દઇ દે દિલ દિવાના તે દિલથકી દિલ લગાવે છે. ...હૃદયમાં

સમર્પે તે જ પામે છે, તપે તે શાંત થાયે છે;
બને કુરબાન તે મૃત્યુતણો ભયશોક ત્યાગે છે. ... હૃદયમાં

કરો એ શબ્દને સાચા, મળે કે મૂકને વાચા;
હૃદય મારું ખરે સાંઈ, છલોછલ શુદ્ધ રાગે છે. ... હૃદયમાં

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit