Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।
हिरण्यगर्भं जनयामास पूर्वं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥४॥

yo devanam prabhavaschodbhavascha
visvadhipo rudro maharsih ।
hiranyagarbham janayamasa purvam
sa no buddhya subhaya samyunaktu ॥ 4॥

રુદ્રરૂપ જે પ્રભુ ઈન્દ્રાદિક દેવોને ઉત્પન્ન કરે,
વળી વધારે, સૌના સ્વામી, મહર્ષિ, જે સર્વજ્ઞ ખરે;
સૃષ્ટિ પહેલાં હિરણ્યગર્ભ કર્યા ઉત્પન્ન વળી જેણે,
તે પરમાત્મા અમને સૌને હમેશાં સદબુદ્ધિ દે. ॥૪॥

અર્થઃ

યઃ - જે
રુદ્રઃ - રુદ્ર
દેવાનામ્ - દેવોની
પ્રભવઃ - ઉત્પત્તિના કારણ
ચ - અને
ઉદભવઃ - વૃદ્ધિના કારણ છે
ચ - અને
વિશ્વાધિપઃ - સૌના અધીશ્વર
મહર્ષિઃ - મહાન જ્ઞાની કે સર્વજ્ઞ છે.
પૂર્વમ્ - જેમણે પહેલાં
હિરણ્યગર્ભમ્ - હિરણ્યગર્ભને
જનયામાસ - ઉત્પન્ન કર્યા
સઃ - તે પરમાત્મા
નઃ - અમને
શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી
સંયુનક્તુ - સંપન્ન કરે.

ભાવાર્થઃ

આ શ્લોક દ્વારા પરમાત્માને સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સદબુદ્ધિ પર જીવનના સદાચારનો અથવા જીવનવિકાસની સાધનાની સફળતાનો અગત્યનો આધાર છે. એ દૃષ્ટિએ જોતાં આ પ્રાર્થનાનું મહત્વ ઘણું મોટું છે. સદબુદ્ધિ - પોતાની તથા બીજાની સદબુદ્ધિની માગણીથી મોટી, શ્રેયસ્કર માગણી બીજી ભાગ્યે જ હોઇ શકે. એ પરમાત્મા દેવોની ઉત્પત્તિ અને અભિવૃદ્ધિના કારણ છે, સૌના સ્વામી છે, સર્વજ્ઞ છે. હિરણ્યગર્ભને ઉત્પન્ન કરનારા છે, એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી.