if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वेदाहमेतमजरं पुराणं सर्वात्मानं सर्वगतं विभुत्वात् ।
जन्मनिरोधं प्रवदन्ति यस्य ब्रह्मवादिनो हि प्रवदन्ति नित्यम् ॥२१॥

vedahametamajaram puranam
sarvatmanam sarvagatam vibhutvat ।
janmanirodham pravadanti yasya
brahmavadino hi pravadanti nityam ॥ 21॥

અજન્મા અને નિત્ય કહે છે મહાપુરુષ જ્ઞાની જેને,
સર્વસ્થળે જે વ્યાપક, સૌના આત્મા, ઘટઘટવાસી જે;
જરામૃત્યુ ને વ્યાધિસમા સૌ વિકારથી પર તેમજ જે,
તે પુરાણ પરમેશ્વરને હું જાણું છું, પરમેશ્વરને ! ॥૨૧॥

અર્થઃ

બ્રહ્મવાદિનઃ - બ્રહ્મવાદી મહાપુરુષો
યસ્ય - જેમના
જન્મનિરોધમ્ - જન્મનો અભાવ
પ્રવદન્તિ - કહી બતાવે છે.
હિ (યમ્) - અને જેમને
નિત્યમ્ - નિત્ય
પ્રવદન્તિ - કહે છે.
એતમ્ - આ
વિભુત્વાત્ - વ્યાપક હોવાથી
સર્વગતમ્ - સર્વવ્યાપક
સર્વાત્માનમ્ - સૌના આત્મા
અજરમ્ - જાર, મૃત્યુ જેવા વિકારોથી રહિત
પુરાણમ્ - પુરાણ પુરુષ પરમાત્માને
અહમ્ - હું
વેદ - જાણું છું

ભાવાર્થઃ

પરમાત્મા વિશે અત્યાર સુધીની વાતો કેવળ વાંચેલી, સાંભળેલી કે વિચારેલી નથી પરંતુ સ્વાનુભવસિદ્ધ છે. આધ્યાત્મિક જીવનનો સાચો આનંદ ચર્ચાવિચારણામાં કે વાદવિવાદમાં સમાયેલો નથી પરંતુ સ્વાનુભૂતિમાં સમાયેલો છે. એ સત્યને સૂચવવા માટે ઋષિ જણાવે છે કે પુરાણપુરુષ પરબ્રહ્મ પરમાત્માને હું જાણું છું; મને એમનો સુખદ સાક્ષાત્કાર થયો છે. જીવનની પરમ ધન્યતાની વીણા એથી વાગી ઉઠી છે. બ્રહ્મવેત્તા બ્રહ્મવાદી પુરુષો એ પરમાત્માને અજન્મા, અવિનાશી, નિત્ય, સર્વાત્મા, જરાદિ વિકારોથી રહિત અને સર્વવ્યાપક કહે છે. એમનો સાક્ષાત્કાર અથવા સંપર્ક સુખશાંતિકારક છે. જીવનનું આત્યંતિક કલ્યાણ એમાં જ સમાયેલું છે. માટે માનવે એમનું અનુસંધાન સાધવું જોઇએ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.