Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

न तस्य कश्चित् पतिरस्ति लोके न चेशिता नैव च तस्य लिङ्गम् ।
स कारणं करणाधिपाधिपो  न चास्य कश्चिज्जनिता न चाधिपः ॥९॥

na tasya kaschit patirasti loke
na chesita naiva cha tasya lingam ।
sa karanam karanadhipadhipo
na chasya kaschijjanita na chadhipah ॥ 9॥

તે છે સૌનો સ્વામી, શાસક; તેનો કોઈ શાસક ના,
કોઈ ચિહ્નવિશેષ ન તેનું, તે તો સઘળે વ્યાપક હા !
સૌનું કારણ, મન-ઈન્દ્રિયના દેવોનો પણ દેવ જ તે,
કોઈ તેનો ઘડનારો કે જનક નથી, ના સ્વામી છે. ॥૯॥

અર્થઃ

લોકે - જગતમાં
કશ્ચિત્ - કોઇપણ
તસ્ય - તે પરમાત્માના
પતિઃ - સ્વામી
ન અસ્તિ - નથી
ઇશિતા - એમનો શાસક
ચ - પણ
ન - નથી
ચ - અને
તસ્ય - એમનું
લિંગમ્ - ચિહ્નવિશેષ પણ
ન એવ - નથી જ
સઃ - તે
કારણમ્ - સૌના પરમ કારણ (તથા)
કરણાધિપાધિપઃ - સર્વે કારણોના અધિષ્ઠાતાઓના પણ અધિપતિ છે.
કશ્ચિત્ - કોઇપણ
અસ્ય - એમના
જનેતા - જનક
ચ ન - પણ નથી
ચ અધિપઃ ન - અને સ્વામી પણ નથી.

ભાવાર્થઃ

પરમાત્મા કરતાં કોઇ શ્રેષ્ઠ નથી એટલે એમનો કોઇ સ્વામી કે શાસક નથી. એ જ સૌના સ્વામી અને શાસક છે. એમનું કોઇ એવું વિશેષ ચિહ્નવિશેષ નથી જેમના પરથી એમને ઓળખી શકાય. તે સૌના કારણ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોના પણ અધીશ્વર છે. એમણે આ આખાય જગતની ઉત્પત્તિ કરી છે. પરંતુ એમને ઉત્પન્ન કરનાર કોઇ જ નથી.