Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामकथा का माहात्म्य
 
कहेउँ परम पुनीत इतिहासा । सुनत श्रवन छूटहिं भव पासा ॥
प्रनत कल्पतरु करुना पुंजा । उपजइ प्रीति राम पद कंजा ॥१॥
 
मन क्रम बचन जनित अघ जाई । सुनहिं जे कथा श्रवन मन लाई ॥
तीर्थाटन साधन समुदाई । जोग बिराग ग्यान निपुनाई ॥२॥
 
नाना कर्म धर्म ब्रत दाना । संजम दम जप तप मख नाना ॥
भूत दया द्विज गुर सेवकाई । बिद्या बिनय बिबेक बड़ाई ॥३॥
 
जहँ लगि साधन बेद बखानी । सब कर फल हरि भगति भवानी ॥
सो रघुनाथ भगति श्रुति गाई । राम कृपाँ काहूँ एक पाई ॥४॥
 
(दोहा)
मुनि दुर्लभ हरि भगति नर पावहिं बिनहिं प्रयास ।
जे यह कथा निरंतर सुनहिं मानि बिस्वास ॥ १२६ ॥
 
રામકથાનું મહાત્મ્ય
 
કહ્યો પવિત્ર પરમ ઈતિહાસ; છૂટે શ્રવણથકી ભવપાશ;
પ્રણત કલ્પતરુ કરુણાપુંજ પ્રગટે પ્રીત રામપદકંજ.
 
મનક્રમવચન જનિત અઘ જાય કથાશ્રવણ જો મનથી થાય.
 
તીર્થાટન સાધક સમુદાય યોગ વિરક્તિ જ્ઞાનમહિમાય,
કર્મધર્મવ્રત તેમજ દાન, સંયમ જપ તપ યજ્ઞમહાન.
 
ભૂતદયા દ્વિજગુરુની સેવ વિદ્યા વિનય અખંડ વિવેક,
સાધન કહ્યાં વેદમાં જે સૌનું ફળ હરિભક્ત જ છે;
 
તે ભક્તિ રઘુનાથતણી ઠેરઠેર ના શકે મળી,
કોઈ વિરલ જ પ્રાપ્ત કરે રામતણી જો કૃપા મળે.
 
(દોહરો)
મુનિ-દુર્લભ હરિભક્તિ નર પામે વિના પ્રયાસ,
કથા નિરંતર આ સુણે જે રાખી વિશ્વાસ.