Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

તારે ચેતવું હોય તો ચેતજે !
તારો જન્મ કૃતાર્થ કરી મેલજે. ... તારે ચેતવું.

મહા મોંઘુ માનવ તન આ મળ્યું
નહીં મુક્તિનો મારગ મેલજે ... તારે ચેતવું.

તારા દિલના અંધારને ભેદજે,
પ્રભુ કેરો પ્રકાશ ત્યાં રેલજે ... તારે ચેતવું.

તારી અંદર બહાર પ્રભુ છે રહ્યા,
જરી દૈવી દ્રષ્ટિથી દેખજે ... તારે ચેતવું.

નહીં આવે સંગાથ કોઈ છેવટે,
પુણ્ય પાપનો વિચાર કરી મેલજે ... તારે ચેતવું.

જો જે જાયે પ્રમાદમાં કાળ આ,
રાતદિન તું નિર્લેપ શો ખેલજે ... તારે ચેતવું.

જાય શરણાગત સ્નેહથી સુખી થઈ,
તારૂં દળદર જનમનું ફેડજે ... તારે ચેતવું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit