Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે મારે સાધન શું કરવું ?

શું સ્મરવું, શું વદવું મારે, કોને ક્યાં ભજવું,
કોને ગ્રહવું ધ્યાને ધરવું; કોને ને તજવું ? ... હવે.

શાપ મળ્યો છે મોટો મુજને, લેશ નથી ડરવું;
અંત સમય શું કરવું, કોને મનડું આ ધરવું ? ... હવે.

પૂર્વ જન્મના પુણ્યોદયથી જીવન મળ્યું મધૂરું,
મરણ મળે મંગલ એનાથી, કોને તો વરવું ? ... હવે.

વેદ પાઠ કે યજ્ઞ ન કરવા, તીર્થે ના ફરવું,
મંગલ મુક્તિ માર્ગ બતાવો, ભવજલને તરવું ? ... હવે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit