Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે નિર્ગુણ નિરાકાર તે બની જાય સાકાર,
જે ગુણાતીત ગુણસ્વામી તે બને છે ગુણાકાર;

જે પરબ્રહ્મ પરમશક્તિ એ કરવાથી અનુરક્તિ,
પ્રકટે છે બનતાં વ્યક્તિ એની કરુણાનો ના પાર .. જે.

એ સર્વસમર્થ ન એને બદ્ધ કરે કોઈ કેમે,
કોઈ પોકારે પ્રેમે વાત કરે વિશ્વાધાર ... જે.

જળમાંથી બરફ બને છે ને તરંગ સિંધુ ધરે છે,
સાંપડતાં  સ્નેહ કરે છે એ પૂરણ પ્રેમાગાર ... જે.

જો કોઈ એને ચાહે, સ્નાન કરે પ્રેમ પ્રવાહે,
કેમ બને ના જો કોઈ હો કરનારું સાકાર ... જે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit