Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાગે ગગને ચાંદ, સુંવાળા વાદળની શય્યા
તોયે જાગે ચાંદ, જાગે ગગને ચાંદ

શોક શું ભારી ચિંતા શાની, આંસુ છવાયા લાખ,
અજ્ઞ ન જાણે તેથી માને, તારલિયા એ આભ !

એમ મને પણ નિદ્રા નાહીં,કોમલ શય્યામાંહ્ય;
તારા વિના સુંવું શું મારે, હે રસનિધિ, રસનાથ !

દુઃખ મટે ના જગના ત્યાં લગ ના મીંચાશે આંખ,
જો આવે તો હવે ન છોડું,અતૂટ ભીડું બાથ !

અમૃતની ધારા પામીને, છાંટું જગની માંહ્ય,
નવજીવનના નિર્ઝર છુટે, તે દિવસે આરામ !

- શ્રી યોગેશ્વરજી