if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१५. भावे चोपलब्धेः ।

અર્થ
ભાવે = (કારણમાં શક્તિરૂપે) કાર્યની સત્તા હોવાથી. 
ચ= જ. 
ઉપલબ્ધેઃ = એની ઉપલિબ્ધ થાય છે તેથી.
(સિદ્ધ થાય છે કે જગત પોતાના કારણ પરમાત્મામાં શક્તિરૂપે સદા રહેલું છે.)

ભાવાર્થ
કોઈપણ કાર્ય એવું છે જે પોતાના મૂળ કારણમાં પ્રથમથી જ સૂક્ષ્મ રીતે અસ્તિત્વ ના ધરાવતું હોય ? સુવર્ણના અલંકારો સુવર્ણમાં છે અને માટીના વાસણો માટીમાં અવ્યક્ત રીતે વાસ કરે છે. વૃક્ષ એના બીજમાં અપ્રકટ બનીને પ્રથમથી જ પડ્યું હોય છે. જે વસ્તુ હોતી જ નથી, સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પણ. એ કેવી રીતે પ્રકટી શકે ? પિતાના શુક્રમાં સંતાનનો વાસ હોય છે તેમ, આ સમસ્ત જગત એના મૂળતત્વ સાથે પરમાત્મામાં રહેતું હોય છે. એ પણ એના કારણથી અભિન્ન હોય છે.

---
  
१६. सत्त्वाच्चावरत्य ।

અર્થ
અવરસ્ય = કાર્યનું.
સત્વાત્ = સત્ હોવાનું શ્રુતિમાં કહેલું છે એથી. 
ચ= પણ.

ભાવાર્થ
આ જગત પોતાના સ્થૂળ સ્વરૂપમાં પ્રકટ થતાં પહેલાં પોતાના કારણમાં શક્તિરૂપે રહે છે. ઉપનિષદમાં એવું સ્પષ્ટીકરણ કરાયલું છે.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે 'હે સોમ્ય, આ જગત પ્રકટ થયા પહેલાં પણ સત્ય હતું. 
सदेव सोम्येदमग्र  आसीत् ।

બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે 'એ વખતે આ અપ્રકટ હતું.’
तद् धेदं तर्ह्यव्याकृतमासीत् ।

ભગવદ્ ગીતા પણ કહી બતાવે છે કે 'આ બધા જીવો આરંભમાં 
अव्यक्तादीनी  भूतानि ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.