if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१७. असद् व्यपदेशान्नेतिचेन्न धर्मान्तरेण वाक्यशेषात् ।

અર્થ
ચેત = જો.
અસદ્ વ્યપદેશાત્ = (બીજ શ્રુતિમાં) જગતે ઉત્પત્તિ પહેલા અસત્ બતાવ્યું હોવાથી
ન= કાર્ય કારણમાં રહેલું હોવાનું સિદ્ધ નથી થતું,
ઈતિ ન = તો એવું નથી.
ધર્માન્તરેણ = કારણ કે એવું કથન તો ધર્માન્તરની અપેક્ષાથી છે.
વાક્યશેષાત્ = એ વાત અંતિમ વાક્ય દ્વારા થાય છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે 'આ બધું પહેલાં અસત્ જ હતું, એમાંથી સત્ પેદા થયું. એણે પોતે જ પોતાને આ રૂપમાં બનાવ્યું, એટલા માટે એને સુકૃત કહે છે.’
असद्  वा इदमग्र आसीत् । ततो वै सदजायत । तदात्मानं स्वययकुरूत । तस्मात्तत्सुकृतमुच्यते ।

ઉપનિષદની એ વાત પરથી એવું નથી સમજવાનું કે જગત પ્રકટ થયા પહેલાં હતું જ નહિ. જો જગત કદાપિ, કોઈ કાળમાં, કોઈયે સ્વરૂપમાં હોત જ નહિ તો એ જ વાકયમાં હતુ અથવા આસીત્ શબ્દનો પ્રયોગ કરત નહિ. વળી એમાંથી સત્ ની ઉત્પત્તિ બતાવી છે. જગત પોતાના પ્રકટીકરણ પ્રત્યક્ષ ધર્મમાં પરીણમ્યું એની પહેલાં સૂક્ષ્મરૂપે અથવા મૂળભૂત રીતે હતું. એ ધર્માન્તર અથવા સ્વરૂપાન્તરને લીધે જ, એને દર્શાવવા માટે જ, અસત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પ્રકટ થયાં પહેલાંની અપ્રકટ અવસ્થાને જ ધર્માન્તર કહે છે. એનો અર્થ એવો થયો કે જગત પોતાની અપ્રકટ અવસ્થાને બદલે પ્રકટ કે પ્રત્યક્ષ અવસ્થાને પ્રાપ્ત થયું. એ જ પ્રક્રિયાને ઉપનિષદમાં અસત્ માંથી સત્ ની અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

છાંદોગ્ય ઉપનિષદમાં એ વસ્તુની સુસ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે 'કોઈ કહે છે કે આ જગત આરંભમાં અસત્ જ હતું, એકલું એ જ હતું, બીજું કોઈ નહિ; એ અસત્ માંથી સત્ પેદા થયું. પરંતુ હે સોમ્ય ! અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે ? એવું કેવી રીતે બની શકે ? આ સઘળું શરૂઆતમાં સત્ જ હતું.’ એમાં સર્વ પ્રકારે વિચાર કર્યા પછી જે વાક્યશેષ કે છેલ્લું વાક્ય લખવામાં આવ્યું છે એના પરથી ઉપરની વાતને અથવા સત્કાર્યવાદને પુષ્ટિ મળે છે.

---

१८. युक्तेः शब्दान्तराच्च ।

અર્થ
યુક્તે = યુક્તિથી.
ચ= અને. 
શબ્દાન્તરાત્ = બીજા શબ્દોથી પણ. (એ વાતને સમર્થન સાંપડે છે.)

ભાવાર્થ
વસ્તુ એક અથવા બીજા રૂપે એના કારણમાં ના હોય તો એને પ્રકટવાનો સંભવ જ નથી રહેતો. આકાશમાં ફૂલ છે જ નહિ એટલે કેવી રીતે પેદા થાય ? પરંતુ સમુદ્રમાં મીઠું પરોક્ષ રીતે રહેલું છે તેથી જ પ્રત્યક્ષ રીતે બહાર આવે છે. એવી યુક્તિ કે વિચારશક્તિથી અને વેદ તેમ જ ઉપનિષદનાં બીજા વર્ણનો પરથી જગત પેદા થયા પહેલાં સત્ સ્વરૂપે હતું એ હકીકતને પુષ્ટિ મળે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.