વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !
વાણી મારા મનમાં છે, મનમાંથી પ્રગટ થાય છે.
ઊભયની વચ્ચે અભેદ છે.
મનનું વાણીમાં વહન થાય છે.
વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !
એ એકતાની સમાપ્તિ એટલેથી જ નથી થતી :
આચારમાં પણ એનો આવિર્ભાવ છે.
મારું મન જે મનન કરી ચૂક્યું છે તે જ વાણીમાં પ્રકટ થાય છે.
આચારમાં પણ તેનો જ અનુવાદ થાય છે.
એનું કારણ શું છે તે જાણો છો ?
આત્માની સાથેની એકરૂપતા.
આત્માની સાથે એકરૂપ થવાથી,
આત્માનુભવ થવાથી જ, આવી ત્રિવિધ એકતા થઈ શકી છે.
મન, વાણી અને કર્મનો બાહ્ય ભંડાર
એના મૂળ આત્મામાંથી જ આવિર્ભાવ પામે છે.
એ જ એકતાનું રહસ્ય છે.
- શ્રી યોગેશ્વરજી

