Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम पिता दशरथ के मृत्यु की खबर सुनते है
 
बिकल सनेहँ सीय सब रानीं । बैठन सबहि कहेउ गुर ग्यानीं ॥
कहि जग गति मायिक मुनिनाथा । कहे कछुक परमारथ गाथा ॥१॥
 
नृप कर सुरपुर गवनु सुनावा । सुनि रघुनाथ दुसह दुखु पावा ॥
मरन हेतु निज नेहु बिचारी । भे अति बिकल धीर धुर धारी ॥२॥
 
कुलिस कठोर सुनत कटु बानी । बिलपत लखन सीय सब रानी ॥
सोक बिकल अति सकल समाजू । मानहुँ राजु अकाजेउ आजू ॥३॥
 
मुनिबर बहुरि राम समुझाए । सहित समाज सुसरित नहाए ॥
ब्रतु निरंबु तेहि दिन प्रभु कीन्हा । मुनिहु कहें जलु काहुँ न लीन्हा ॥४॥
 
(दोहा)   
भोरु भएँ रघुनंदनहि जो मुनि आयसु दीन्ह ।
श्रद्धा भगति समेत प्रभु सो सबु सादरु कीन्ह ॥ २४७ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામ પિતા દશરથના મૃત્યુના સમાચાર જાણે છે
 
(દોહરો)
સીતા સઘળી સાસુઓ વ્યાકુળ પૂર્ણ થઇ,
જ્ઞાની ગુરુએ બેસવા આજ્ઞા તરત કરી.
 
અનિત્યતા જગની કહી, માયા ખ્યાલ ધરી,
પરમાર્થ કથા વર્ણવી દીધી શાંતિ વળી.
*
નૃપના સ્વર્ગગમનની વાત સુણી પામ્યા પીડા રઘુનાથ;
હેતુ મરણતણો નિજ નેહ સમજી વિકળ બની ગયા છેક.
 
કટુ કુલિશ કઠોરશી વાણી સુણી રડવાને લાગી રાણી;
સીતા લક્ષ્મણ વિકળ સમાજ બન્યો, રાજા મર્યા જાણે આજ.
 
મુનિએ સમજાવ્યા રામને પ્રેમે, કર્યું સ્નાન રામે ત્યારે કેમે;
પ્રભુએ નિર્જળ વ્રતદિન ગાળ્યો, સૌએ દિન એમ વીતાવ્યો સારો.
 
(દોહરો)
પ્રભાતમાં મુનિવરતણો અનુસરતાં આદેશ
પ્રભુએ ક્રિયા બધી કરી શ્રદ્ધાભક્તિ સમેત.