याज्ञवल्क्य मुनि भरद्वाज आश्रम में
(चौपाई)
एहि प्रकार भरि माघ नहाहीं । पुनि सब निज निज आश्रम जाहीं ॥
प्रति संबत अति होइ अनंदा । मकर मज्जि गवनहिं मुनिबृंदा ॥१॥
एक बार भरि मकर नहाए । सब मुनीस आश्रमन्ह सिधाए ॥
जगबालिक मुनि परम बिबेकी । भरव्दाज राखे पद टेकी ॥२॥
सादर चरन सरोज पखारे । अति पुनीत आसन बैठारे ॥
करि पूजा मुनि सुजस बखानी । बोले अति पुनीत मृदु बानी ॥३॥
नाथ एक संसउ बड़ मोरें । करगत बेदतत्व सबु तोरें ॥
कहत सो मोहि लागत भय लाजा । जौ न कहउँ बड़ होइ अकाजा ॥४॥
(दोहा)
संत कहहि असि नीति प्रभु श्रुति पुरान मुनि गाव ।
होइ न बिमल बिबेक उर गुर सन किएँ दुराव ॥ ४५ ॥
*
MP3 Audio
*
યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજ આશ્રમમાં
(દોહરો)
માઘસ્નાન પૂરું કરી નિજ આશ્રમસ્થળ જાય,
પ્રતિવર્ષ કરે ઉત્સવ, ભક્તિનો રસ પાય.
*
એક વાર એ તીર્થરાજમાં આવેલા ઋષિમુનિ સઘળા
માઘસ્નાન સંપૂર્ણ કરીને નિજ આશ્રમ કે સ્થાન ગયા
ત્યારે ભક્ત ભરદ્વાજે ત્યાં પ્રણામ કરતાં પ્રેમથકી
યાજ્ઞવલ્ક્ય મુનિને રોકવા આગ્રહ કર્યો વિવેકથકી.
સાદર ચરણકમળને ધોઇ અતિ પવિત્ર અર્પ્યું આસન,
પૂજી મુનિમહિમા વર્ણવતાં કરવા લાગ્યા સંભાષણ..
શંકા એક સતાવે મુજને હે પ્રભુ વેદતત્વજ્ઞાતા,
તમારા વિના કોણ શમાવે, પૂછું છું રાખી આશા;
સંકોચ સહજ થાય છે મને શંકા આજ રજૂ કરતાં,
સમાધાન પણ ના શોધું તો અસ્વસ્થતા રહે મનમાં.
(દોહરો)
સંતો નીતિ કહે વળી શ્રુતિ પુરાણ મુનિ ગાય,
ગુરુથી પડદો રાખતાં નિર્મળ જ્ઞાન ન થાય.

