Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भगवान शंकर का पार्वती से श्रीराम की परीक्षा का अनुरोघ
 
(चौपाई)
जौं तुम्हरें मन अति संदेहू । तौ किन जाइ परीछा लेहू ॥
तब लगि बैठ अहउँ बटछाहिं । जब लगि तुम्ह ऐहहु मोहि पाही ॥१॥
 
जैसें जाइ मोह भ्रम भारी । करेहु सो जतनु बिबेक बिचारी ॥
चलीं सती सिव आयसु पाई । करहिं बिचारु करौं का भाई ॥२॥
 
इहाँ संभु अस मन अनुमाना । दच्छसुता कहुँ नहिं कल्याना ॥
मोरेहु कहें न संसय जाहीं । बिधी बिपरीत भलाई नाहीं ॥३॥
 
होइहि सोइ जो राम रचि राखा । को करि तर्क बढ़ावै साखा ॥
अस कहि लगे जपन हरिनामा । गई सती जहँ प्रभु सुखधामा ॥४॥
 
(दोहा)
पुनि पुनि हृदयँ विचारु करि धरि सीता कर रुप ।
आगें होइ चलि पंथ तेहि जेहिं आवत नरभूप ॥ ५२ ॥

*
MP3 Audio

*
 
શંકર પાર્વતીને રામની પરીક્ષા લેવા જણાવે છે
 
મનમાં હોય સંદેહ તમારા કરો પ્રેમે પરીક્ષા તો ન્યારા;
આવો જ્યાં સુધી સમીપે મારી બેઠો ત્યાં સુધા વટછાયામાંહી.
 
મોહ જેમ મટે ભ્રમ ભારી કરો તેમ વિવેક વિચારી;
સતી ચાલ્યાં શિવઆજ્ઞા શિર ધારી, ચોક્કસ વિચારી ના શક્યાં કાંઇ.
 
કર્યું એવું શિવે અનુમાન દક્ષસુતાનું નવ કલ્યાણ,
મારા સમજાવ્યે સંશય ના જાય, વિધિ વિપરીત, શુભ નહિ થાય.
 
થશે તે જે રામે રચી રાખ્યું, કરી તર્ક આહુતિ શાને નાખું ;
વદી જપવા લાગ્યા હરિનામ, પહોંચ્યાં સતી જ્યાં પ્રભુ સુખધામ.
 
(દોહરો)       
વારંવાર વિચારતાં ધરતાં સીતારૂપ
ચાલ્યાં આગળ પંથ પર જ્યાં આવ્યા નરભૂપ.