भविष्यकथन की प्रतिक्रिया
(चौपाई)
सुनि मुनि गिरा सत्य जियँ जानी । दुख दंपतिहि उमा हरषानी ॥
नारदहुँ यह भेदु न जाना । दसा एक समुझब बिलगाना ॥१॥
सकल सखीं गिरिजा गिरि मैना । पुलक सरीर भरे जल नैना ॥
होइ न मृषा देवरिषि भाषा । उमा सो बचनु हृदयँ धरि राखा ॥२॥
उपजेउ सिव पद कमल सनेहू । मिलन कठिन मन भा संदेहू ॥
जानि कुअवसरु प्रीति दुराई । सखी उछँग बैठी पुनि जाई ॥३॥
झूठि न होइ देवरिषि बानी । सोचहि दंपति सखीं सयानी ॥
उर धरि धीर कहइ गिरिराऊ । कहहु नाथ का करिअ उपाऊ ॥४॥
(दोहा)
कह मुनीस हिमवंत सुनु जो बिधि लिखा लिलार ।
देव दनुज नर नाग मुनि कोउ न मेटनिहार ॥ ६८ ॥
*
MP3 Audio
*
નારદજીની ભવિષ્યવાણીની પ્રતિક્રિયા
(દોહરો)
મુનિવચનો સાચાં ગણી ઉમા પ્રસન્ન બની,
મેના હિમાલયે વ્યથા વેઠી ગુપ્ત ઘણી.
ભેદ નારદે દ્વિવિધ એ જાણ્યો તરત નહીં;
દશા સર્વની એક પણ વિવેક ભિન્ન કહીં.
સકળ સખી ગિરિજા તથા ગિરિવર મેનાએ
રોમાંચિત બનતાં સહી અશ્રુધારાને.
દેવર્ષિનાં વચન ના મિથ્યા હોય જરી
ઉમા એમ સમજી રહી હૃદયે સર્વ ધરી.
*
ઊપજ્યો શિવપદપંકજ સ્નેહ, મિલન કઠિન જાગ્યો સંદેહ;
વિપરીત વખત જાણી પ્રેમ છુપાવ્યો જીવનધન જેમ.
મિથ્યા હોય ન નારદ વાણ, વ્યર્થ સખી માતપિતા પ્રાણ;
ધૈર્ય ધરી બોલ્યા ગિરિરાય, કરવો કયો અમોઘ ઉપાય ?
(દોહરો)
હિમવંત સુણો મુનિ વદ્યા, વિધિ જે લખે લલાટ,
દેવ દનુજ નર નાગ મુનિ મિથ્યા કરે ન લાખ.