Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.

અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.

- શ્રી યોગેશ્વરજી