| Download details |
સ્વાતિબિંદુ કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને મહાન તત્વજ્ઞ ખલિલ જિબ્રાનના કાવ્યમય સર્જનાત્મક ગદ્યખંડોની સ્મૃતિ કરાવતી ૧૧૦ રચનાઓનો સંપુટ એટલે શ્રી યોગેશ્વર કૃત સ્વાતિબિંદુ. પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ રચનાઓમાં શ્રી યોગેશ્વરજીની અંતર્મુખી કવિચેતનાનો સાક્ષાત્કાર થાય છે. પ્રકૃતિના વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરીને તેઓ પોતાના મન-અંતરના ભાવજગતને વાચક સમક્ષ ખુલ્લુ કરે છે. આ પુસ્તકમાં રજૂ થયેલ ઘણી રચનાઓ શ્રી યોગેશ્વરજી દ્વારા ઈશ્વરને કરાયેલ પ્રાર્થનાનું અભિનવ સ્વરૂપ છે. ગુજરાતી સાહિત્યના ચાહકો અને ભાવકોને એમાં રજૂ થયેલ ઉદાત્ત વિચારો અવશ્ય આકર્ષશે. E-Book |
| |||||||||||||||||||||||||


