Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા મરણનો ભય તે તો મન નાણે
સર્વ નિખર્વ દળ એક સામાં ફરે તરણને તુલ્ય તેને જ જાણે.

મોહનું સેન મહા વિકટ લડવા સમે મરે પણ મોરચો નહિ જ ત્યાગે,
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા એ દળ દેખતાં સર્વ ભાગે.

કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગ લાગે,
જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે.

એવા એ સેનશું અડીખમ આખડે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી અખંડ સુખ અટળ પદ રાજ માણે.

- મુક્ત આનંદ

Comments

Search Reset
1
Arvind Jethva
6 years ago
I like Gujarati Bhajan and Arti.
Like Like Quote

Add comment

Submit